Home Gujarat Jamnagar જામનગરના જોડીયામાં “સગીરા” ના અપહરણથી ચકચાર

જામનગરના જોડીયામાં “સગીરા” ના અપહરણથી ચકચાર

0

જામનગર જિલ્લાના જોડિયા ટાઉન માંથી એક સગીરાનુ અપહરણ

  • મોરબી પંથકનો શખ્સ ઉઠાવી ગયો હોવાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૧૧ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના જોડીયા ટાઉન માંથી એક સગીરાનુ તાજેતરમાં અપહરણ થઈ ગયું હોવાનું, અને મોરબીનો એક શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરાઈ છે.

જોડિયા ટાઉનમાં મોટો વાસ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક તરુણીનું તેણીના ઘેરથી તાજેતરમાં અપહરણ થઈ ગયું હતું. પરિવાર જનો દ્વારા તપાસ કરાવતાં મોરબી જિલ્લાના બેલા ગામનો હૈદર દોસ્ત મહંમદ જામ નામના શખ્સ દ્વારા તેણીનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સગીરાના પિતા નું નિવેદન નોંધી તેની ફરિયાદના આધારે મોરબીના આરોપી હૈદર દોસ્તમામદ જામ સામે અપહરણ અંગે ગુનો નોંધ્યા છે, અને તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version