Home Gujarat Jamnagar જામનગરમાં મેમોગ્રાફી ટેસ્ટ સંબંધી સેમિનાર યોજાયો

જામનગરમાં મેમોગ્રાફી ટેસ્ટ સંબંધી સેમિનાર યોજાયો

0

જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત શ્રી ગણેશ યોગ ક્લાસીસમાં મેમોગ્રાફી ટેસ્ટ સંબંધી સેમિનાર યોજાયો

  • જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ સહિતના મહિલા અગ્રણીઓ દ્વારા મેમોગ્રાફી સંબંધીત માર્ગદર્શન અપાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ એપ્રિલ ૨૪ જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટ્રેનર્સ સંચાલિત શ્રી ગણેશ યોગ ક્લાસીસ માં તારીખ ૬.૪.૨૦૨૪ ના દિવસે મેમોગ્રાફી ટેસ્ટ અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં જામનગરના પૂર્વ મેયર અને પવન હંસના ડાયરેક્ટર અમીબેન પરીખ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વેળાએ તેઓની સાથે શહેર ભાજપના મહિલા અગ્રણી મોનિકાબેન વ્યાસ, તેમજ શ્રી ગણેશ યોગા કલાસ ના મુખ્ય સંચાલિકા સુમિતાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ૨૦ થી વધુ સાધકો જોડાયા હતા.

જે તમામને અમીબેન પરીખ દ્વારા મેમોગ્રાફી સંબંધી જરૂરી માર્ગદર્શન અપાયું હતું, અને તમામ સાધકો મેમોગ્રાફીના ચેકઅપ માટે તૈયાર થયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version