Home Gujarat Jamnagar જામનગરમાં ભંગાર નો વેપારી પૈસાની ઉઘરાણી કરવા જતાં માર પડ્યો

જામનગરમાં ભંગાર નો વેપારી પૈસાની ઉઘરાણી કરવા જતાં માર પડ્યો

0

જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં ભંગાર નો વાડો ચલાવતા વેપારી ને પૈસાની ઉઘરાણી કરવા જતાં માર પડ્યો

  • લાલવાડીમાં રહેતા ત્રણ પિતા પુત્રોએ વેપારીને લમધારી નાખ્યા: ફરી પૈસા માંગશે તો પતાવી દેવાની ધમકી આપી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓગસ્ટ ૨૪, જામનગરમાં દીગવીજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને રાજપાર્ક વિસ્તારમાં ભંગારનો વાડો ચલાવતા અલ્પેશભાઈ રમણીકભાઈ ચાંદ્રા નામના ૩૯ વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર આડેધડ હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવી દેવા અંગે લાલવાડી વિસ્તારમાં રહેતા નૂરમામદભાઈ ઝાડમ તથા તેના બે પુત્ર હુસેન નૂરમહમદભાઈ અને શાહનવાઝ નૂરમહમદભાઈ સામે ફરીયાદ નોંધાવી છે, જ્યારે તેને ઈજા થઇ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભંગારના વેપારી અલ્પેશભાઈ આરોપી નૂરમામદ ઝાડમ પાસે પોતાના વેપારના ધંધા ના પૈસા માંગતા હતા, તે પૈસાની ગઈકાલે આરોપી પાસે ઉઘરાણી કરતાં ઉશ્કેરાઈ જઇ વેપારીને આરોપી પિતા-પુત્રોએ લમધારી નાખ્યા હતા, અને ફરીથી પૈસાની માંગણી કરશે, તો પતાવી નાખશે તેવી ધમકી આપી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. પી.એસ.આઈ. આર.પી. અસારી ત્રણેય આરોપીઓને શોધી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version