Home Gujarat Jamnagar ખંભાળિયાના આશાસ્પદ બ્રાહ્મણ યુવાનનું અકસ્માતમાં મોત

ખંભાળિયાના આશાસ્પદ બ્રાહ્મણ યુવાનનું અકસ્માતમાં મોત

0

ખંભાળિયાના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત : પરીવાર પર આભ ફાટ્યું

ખંભાળિયા: ખંભાળિયા નજીકના યોગેશ્વર નગર- 2 ખાતે રહેતા મહેન્દ્રભાઇ ઊર્ફે મુકેશભાઈ ત્રિવેદીનો 21 વર્ષીય વિદ્યાર્થી યુવાન પુત્ર રાજ ગત તારીખ 25 ના રોજ પોતાના જી.જે.37 ડી. 5287 પર બેસીને જઈ રહ્યો હતો, ત્યારે ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલપંપ પાસે એક ગોળાઈ પાસે વણાંક લેતા આ મોટરસાઇકલ સ્લીપ થઇ ગયું હતું.

જેના કારણે રાજને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક રાજ ત્રિવેદી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version