Home Gujarat Jamnagar જામનગરના ખારવા ચકલા માં જર્જરિત મકાનનો હિસ્સો તૂટ્યો

જામનગરના ખારવા ચકલા માં જર્જરિત મકાનનો હિસ્સો તૂટ્યો

0

જામનગર નાં ખારવા ચકલા માં જર્જરિત મકાનનો હિસ્સો તૂટ્યોદેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ ઓક્ટોબર ૨૩ જામનગરના ખારવા ચકલા વિસ્તારમાં ગત મધ્યરાત્રિના રાઠોડ પરિવાર નાં જુનવાણી, જર્જરિત મકાન નો કેટલોક હિસ્સો તુટી પડ્યો હતો. જો કે આ સમયે મકાન ની બહાર કોઈ ની અવર-જવર નહીં હોવા થી કોઈ જાનહાની થવા પામી ન હતી. આ પછી આજે સવારે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી ત્યાં પહોંચી હતી અને કેટલોક જોખમી ભાગ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી માનવહાની નિવારી શકાય. આ કામગીરી મહાનગર પાલિકાના સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા ની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version