Home Gujarat Jamnagar જામનગરના ચકચારી ”પરણીતા” આપઘાત પ્રકરણમાં નવો વળાંક : જુવો VIDEO

જામનગરના ચકચારી ”પરણીતા” આપઘાત પ્રકરણમાં નવો વળાંક : જુવો VIDEO

0

જામનગરના ચકચારી મહિલાના આપઘાત પ્રકરણમાં પરિણીતાને મરી જવા મજબુર કરનાર જમાઇ સહિત 3 સામે ફરિયાદ

  • મૃતકના પતિએ પહેલા પોલીસ પર હેરાનગતિનો આક્ષેપ કર્યો હતો
  • મૃતકની માતાએ સાસરા પક્ષના ત્રાસની ફરિયાદ લખાવતા કેસમાં આવ્યો નવો વળાંક

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨ જુલાઇ ૨૩ : જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બનેલ ચકચારી મહિલાના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જેમાં પરિણીતાને મરી જવા મજબુર કરનાર જમાઇ સહિત 3 સામે ફરિયાદ નોંધાઇ છે. મૃતકના પતિએ પહેલા પોલીસ પર આક્ષેપ કર્યો હતો, મૃતકની માતાએ સાસરા પક્ષના ત્રાસની ફરિયાદ લખાવતા કેસમાં આવ્યો નવો વળાંક આવ્યો છે અને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા ભારતીબેન ચાવડા નામના મહિલા દ્વારા ગઇકાલે મંગવારે બપોરના સમયે એસિડ પી આપઘાત કર્યો હતો. મહિલાને ગંભીર હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ થતા ભારે ખડભડાટ મચી ગયો હતો. મહિલાએ એસિડ પી આપઘાત કર્યાની ઘટનામાં તેમના પતિ દ્વારા પોલીસના ત્રાસથી કંટાળી મહિલાએ મહિલાએ આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. મહિલાના પતિનો ભાઈ દારૂના કેસમાં સંડોવાયેલો હોય જેને લઇ સીટી એ ડીવીઝન પોલીસના ચાર પોલીસકર્મચારીઓ વારંવાર મહિલાના પરિવારજનોને હેરાન કરતા હોય જેથી કંટાળી મહિલાએ પગલું ભર્યુ હોવાનું મહિલાના પતિ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

મહિલાના મૃત્યુ બાદ ગઈકાલે રાત્રિના સમયે મહિલાના પરિવારજનો સહિતના લોકોનું ટોળું એસપી બંગલાએ દોડી ગયું હતું અને પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની માંગણી સાથે ધરણા કરતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં અને આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. લોકોના ટોળાએ એસપી બંગલા બહાર ધરણાં કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને એસપી બંગલા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

મહિલાના આપઘાત પ્રકરણમાં એક તરફ પતિ અને પરિવારજનો દ્વારા પોલીસ વિરુધ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતાં. તો બીજી તરફ આ આપઘાત કેસમાં નવો વળાંક આવતા મહિલાની માતા દ્વારા મહિલાના પતિ અને સાસરીયાઓના ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતક ભારતીબેનના માતા સાદીયા લાખીબેન હરદાસભાઈએ મૃતક મહિલાના પતિ બિપીન સોમાભાઈ ચાવડા, રામીબેન સોમાભાઈ ચાવડા તથા અનિલ સોમાભાઈ ચાવડા વિરૂધ્ધ સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મૃતક ભારતીબેનને તેના પતિ બિપીન તથા સાસુ રામીબેન અને દિયર અનિલ અવાર-નવાર માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતાં અને બિપીને બે વીઘા જમીન પોતાના નામે કરી આપવાની માંગણી કરી મારકુટ કરતો હતો તેમજ મેણાટોણા મારી દુ:ખ આપી મરવા માટે મજબુર કરી હતી. તેમજ બિપીને ફરિયાદીના દિકરા દિપકને પણ માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે દુ:ખ સહન ન થતા ભારતીબેને એસિડ પી આપઘાત કર્યો હતો.

સીટી એ ના પીએસઆઇ વસંત આર. ગામેતીએ મૃતકના માતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઇ જામનગરમાં ચર્ચા જાગી છે તો બીજી તરફ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version