Home Gujarat Jamnagar જામનગર નવા કાયદાની અમલવારી સંદર્ભે હિન્દુ – મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ

જામનગર નવા કાયદાની અમલવારી સંદર્ભે હિન્દુ – મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ

0

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નવા કાયદાની અમલવારીના સંદર્ભમાં સ્થાનિક અગ્રણીઓ સાથે પોલીસની બેઠક યોજાઈ

  • અંગ્રેજોના વખતના કાયદામાં સોમવારે, તા.૧ જુલાઇ,૨૦૨૪ થી ધરખમ ફેરફાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ જૂન ૨૪, સોમવાર તા.૦૧ જુલાઇ,૨૦૨૪ થી નવા કાયદા ની અમલવારી ના અનુસંધાને સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્થનિક વિસ્તારમાં રહેતા હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે પોલીસ વિભાગની એક બેઠક શનીવારે યોજાઇ હતી.અંગ્રેજોના વખતના કાયદામાં સોમવારે, તા.૧ જુલાઇ,૨૦૨૪ થી ધરખમ ફેરફાર થવાં જઇ રહ્યા છે. જે ગુજરાત પોલીસ તંત્ર માટે ઐતિહાસિક દિવસ હશે. જેના અનુસંધાને જામનગરના સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર વિરેનસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ને નવા કાયદાની કલમ વિશે માહિતગાર કર્યા હતા, તેમજ આવનારા દિવસોમાં રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તે બબાતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે બેઠકમાં ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version