Home Gujarat Jamnagar જામનગરમાં શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને શાંતિ સમિતિ ની...

જામનગરમાં શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

0

જામનગરમાં શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ જાન્યુઆરી ૨૪, આગામી ૨૨ ની તારીખે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રા પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને જામનગર શહેરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં શાંતિ જળવાયેલી રહે, તેના અનુસંધાને જામનગર શહેરમાં બ્રહ્મક્ષત્રીય સમાજ ની વાડીમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, જામનગર મહાનગપાલિકાના નગરસેવકો, વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણ માં સંપન્ન થાય, તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તથા કોઇ અનિચ્છનીય બનાવ ‘ન’ બને તે માટે તકેદારી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક જામનગર પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં એ.એસ.પી. અજયકુમાર મીણાં, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ નિકુંજ ચાવડા, તથા ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકી ના પી.એસ.આઈ. બુડાસણા સહિત સર્વેલન્સ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version