Home Gujarat Jamnagar જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગોદામમાં ભિષણ આગ

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગોદામમાં ભિષણ આગ

0

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગોદામમાં ભિષણ આગ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭. ફેબ્રુઆરી ૨૩ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સંજય ઓઇલ મીલની પાછળ આવેલા અરવિંદભાઈ હીરજીભાઈ ગોરી નામના વેપારીના ગોડાઉનમાં ખાલી બારદાન નો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે, જેમાં વહેલી સવારે 7.15 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી, અને જોત જોતામાં ખાલી બારદાન નો મોટો જથ્થો સળગવા લાગ્યો હતો.

આગના આ બનાવ અંગે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સતત એકાદ કલાકની જહેમત પછી પાણીના ચાર ટેન્કરોનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. જે આગ ના કારણે બારદાન નો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version