Home Gujarat Jamnagar જામનગરની પરણીતાને વાંકાનેરમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓ નો સિતમ

જામનગરની પરણીતાને વાંકાનેરમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓ નો સિતમ

0

જામનગરની પરણીતાને વાંકાનેરમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓ નો સિતમ

  • દહેજ ની માંગણી કરી સગીર પુત્રી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જુલાઈ ૨૪, જામનગર ના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક પરણીતાને વાંકાનેરમાં રહેતા તેણીના દહેજ ભૂખ્યા સાસરીયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી મવતરેથી પૈસા લઈ આવવાની માંગણી કરી સગીર પુત્રી સાથે ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આફરિયાદ ની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી અને વાંકાનેર પરણાવેલી જેન્શીબેન ધવલવન ગોસ્વામી નામની ૨૩ વર્ષની બાવાજી જ્ઞાતિ ની પરિણીતાએ પોતાને તથા પોતાની માસુમ પુત્રી રુદ્રીને મારકુટ કરી ત્રાસ ગુજારી માવતરેથી પૈસા લઈ આવવાની માંગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે જેન્સીબેનની ફરિયાદના આધારે તેણીના પતિ ધવલવન રાજેશવન ગોસ્વામી, સાસુ રીટાબેન રાજેશભાઈ ગોસ્વામી તેમજ સસરા રાજેશવન ન્યાલવન ગોસ્વામી સામે સ્ત્રી હત્યાચાર ધારા તેમજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળની કલમ મુજબ ગુનો નોંધી તપાસનો દોર વાંકાનેર સુધી લંબાવ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version