જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલી કેનાલમાં કચરાના ઢગલામાં આગ થી દોડધામ: ફાયરે આગ બુઝાવી
-
કેનાલ નજીક કેટલીક દુકાનો આવેલી હોવાથી આગના કારણે એસી વગેરેમાં નુકસાની થવાના ભયને લીધે વેપારીઓ દોડ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૪, જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી પાણી અને કચરાની કેનાલમાં પડેલા ઢગલામાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી, અને આગના લબકારાઓ અને ધુમાડા ના ગોટેગોટા નજરે પડ્યા હતા.