Home Gujarat Jamnagar ધ્રોલ નગરપાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસ ના એક...

ધ્રોલ નગરપાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસ ના એક ઉમેદવાર નું નિધન

0

ધ્રોલ નગરપાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસ ના એક ઉમેદવાર નું નિધન

  • વોર્ડ નંબર ૭ ની તમામ ચાર બેઠક ની ચૂંટણી મુલતવી રખાયા ની તંત્ર ની જાહેરાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૫, જામનગર જિલ્લા ના ધ્રોલ નગરપાલિકા ના વોડ નંબર ૭ નાં કોંગ્રેસ ઉમેદવાર નું આજે નિધન થયું છે.આથી આ.વોર્ડ ની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવાં માં આવશે.જામનગર જિલ્લા ની ધ્રોલ , કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ઓ માટે આગામી તારીખ ૧૬ મી ના રોજ મતદાન થનાર છે. આ ત્રણે નગરપાલિકાઓ માં ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન ધ્રોળ નગરપાલિકા ની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ ના ઉમેદવાર દશરથસિંહ જામસંગ જાડેજા નું આજે સાંજે નિધન થયું હતું.ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસ ના ઉમેદવાર દશરથસિંહ જાડેજા આજે સાંજે સાડા ચારેક વાગ્યા ની આસપાસ ધ્રોળ માં હોસ્પિટલ નજીક ના વિસ્તાર માં હતા ત્યારે તેઓને છતી દુઃખાવો શરૂ થયો હતો. આથી તુરંત તેઓ ને ધ્રોલ ની જ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતા.પરંતુ તેઓ ની સારવાર કારગત નીવડી ન હતી.અને તેઓ નું નિધન થયું હતું. બનાવવા ની જાણ થતા જ સ્થાનિક આગેવાનો અને તેમના સગા સંબંધી દોડી ગયા હતા.  મળતી માહિતી મુજબ સરકારના નિયમ અનુસાર વોર્ડ નંબર ૭ ની તમામ ચાર બેઠકો ની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version