Home Gujarat Jamnagar જામનગરમાં કેનાલ પર ખડકાયેલ ‘તબેલા’ પર બુલડોઝર ફેરવાયું

જામનગરમાં કેનાલ પર ખડકાયેલ ‘તબેલા’ પર બુલડોઝર ફેરવાયું

0

જામનગરના અશોક સમ્રાટ નગર વિસ્તારમાં કેનાલ ઉપર ખડકી દેવાયેલા ગેરકાયદે તબેલા એસ્ટેટ શાખા એ દૂર કર્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જૂન ૨૪, જામનગરના અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતા સ્થાનિક આસામીઓ દ્વારા ત્યાંથી પસાર થતી જામનગર મહાનગરપાલિકાની કેનાલની ઉપર ગેરકાયદે ભેંસોના તબેલા ખડકી દેવાયા હતા, અને દબાણ કરવામાં આવ્યું હતું.

જે અંગેની માહિતી મળતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અને અનવર ગજણ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને જેસીબી ની મદદ થી અંદાજે ત્રણેક હજાર ચોરસ મીટર લંબાઈમાં ખડકી દેવાયેલા ભેંસોના તબેલા નું દબાણ દૂર કર્યું હતું, અને મહાનગર પાલિકાની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version