Home Gujarat Jamnagar ‘મન હોય તો માળવે જવાય’ જામનગરના ૭૨ વર્ષીય વૃદ્ધા નડિયાદમાં ગોલ્ડમેડલ જીત્યા

‘મન હોય તો માળવે જવાય’ જામનગરના ૭૨ વર્ષીય વૃદ્ધા નડિયાદમાં ગોલ્ડમેડલ જીત્યા

0

જામનગરના ૭૨ વર્ષીય વૃદ્ધા નડિયાદમાં ગોલ્ડમેડલ જીત્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ સપ્ટેમ્બર, ૨૪ જામનગરના ૭૨ વર્ષીય વૃદ્ધાએ રમત ગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તાજેતરમાં જ ૭,૮ સપ્ટેમ્બર ના રોજ નડિયાદ ખાતે યોજાયેલ માસ્ટર એટલાન્ટિક સ્પર્ધામાં ૩૫ થી ૯૦ વર્ષની વય મર્યાદામાં ગુજરાત રાજ્યમાંથી ઉમટી પડેલા અલગ અલગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરના સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્રભાઈ જેન્તીભાઈ દુધાગરા ના માતા લાભુબેન જયંતીભાઈ દુધાગરાએ ૭૨ વર્ષની વયે ૫,૦૦૦ મીટર દોડ, ૧૫૦૦ મીટર દોડ અને ૮૦૦ મીટર દોડમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે ત્યારે જામનગરનું નામ રોશન કર્યું છે સાથે સાથે દુધાગરા પરિવારનું પણ નામ રોશન કરતા લાભુબેન આજની યુવા પેઢી માટે પણ કસરત, યોગ કરી તંદુરસ્ત રહેવા સિદ્ધિ હાસલ કરી પ્રેરણા આપી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version