Home Gujarat Jamnagar જામનગર કાલાવડની ૨૧ વર્ષની પરણિત યુવતી લાપતા

જામનગર કાલાવડની ૨૧ વર્ષની પરણિત યુવતી લાપતા

0

કાલાવડ ની ૨૧ વર્ષની પરણિત યુવતી લાપતા બની જતાં ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ ફેબ્રુઆરી ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન માં રહેતી ૨૧ વર્ષીય પરણિત યુવતી એકાએક લાપતા બની જતાં તેના પતિ દ્વારા ગુમનોંધ કરાવાઈ છે, અને કાલાવડ ટાઉન પોલીસ તેણીને શોધી રહી છે.કાલાવડ ટાઉનમાં કાશ્મીર પરા વિસ્તારમાં રહેતા સતિષભાઈ મનોજભાઈ પરમાર નામના વાંજા જ્ઞાતિના યુવાનની પત્ની હિરલબેન (ઉંમર વર્ષ ૨૧) કે જે ગઈ કાલે સવારે ૧૧.૦૦ વાગ્યાના અરસામાં કાલાવડના બસ સ્ટેન્ડ પાસે ગઈ હતી, અને ત્યાંથી એકાએક લાપતા બની ગઈ છે.

પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ તેણીનો કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે કાલાવડ પોલીસમાં ગમ નોંધ કરાવાઈ છે. જે અંગેની કોઈને જાણકારી મળે તો કાલાવડ પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.ડી. ઝાપડીયા (૮૩૨૦૮૦૮૦૫૮) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version