Home Gujarat Jamnagar જામનગર લાલપુર નજીક મોટા લખિયા ગામમાંથી ૨૦ વર્ષીય યુવતી લાપતા

જામનગર લાલપુર નજીક મોટા લખિયા ગામમાંથી ૨૦ વર્ષીય યુવતી લાપતા

0

લાલપુર નજીક મોટા લખિયા ગામમાંથી ૨૦ વર્ષીય યુવતી લાપતા બની જતાં પરિવારજનો માં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં રહેતી ૨૦ વર્ષ ની અપારણીત યુવતી પોતાના ઘેરથી એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. જે અંગે મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઇ છે.લાલપુર તાલુકા ના મોટા લખિયા ગામમાં રહેતા પ્રવીણભાઈ ખોડાભાઈ ખરા નામના ૪૮ વર્ષના ચારણીયા મેઘવારની ૨૦ વર્ષ ની પુત્રી આરતીબેન કે જે ગત ૬ તારીખે પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી. તેણીનો અનેક સ્થળે શોધખોળ કર્યા છતાં કોઈ પત્તો સાંપડ્યો ન હતો.આથી મેઘપર પોલીસ મથકમાં પિતા પ્રવીણભાઈ દ્વારા ગુમ નોંધ કરાવવામાં આવી હતી, જેના અનુસંધાને મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.કે. બાબરીયા તપાસ ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version