Home Gujarat Jamnagar જામનગરમાં ૧૬ વર્ષની સગીરાને “લપુસીયો’ ભગાડી ગયો

જામનગરમાં ૧૬ વર્ષની સગીરાને “લપુસીયો’ ભગાડી ગયો

0

જામનગર માંથી સગીરા નું અપહરણ કરી ભગાડી જવા અંગે પાડોશી યુવક સામે ફરીયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૭ જાન્યુઆરી ૨૪ , જામનગર નાં મહાકાળી સર્કલ વિસ્તાર માં રહેતી એક સગીરા ને ભગાડી લઇ જવા અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવાતાં પોલીસે અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગર શહેર મા મહાકાળી સર્કલ વિસ્તાર માં રહેતા એક પર પ્રાંતીય પરિવાર ની ૧૬ વર્ષ સગીર વય ની પુત્રી ગત તાં૪/૧/૨૪ નાં ગુમ થઈ હતી. આ અંગે પરિવારે શોધ ખોળ શરૂ કરી હતી પરંતુ પતો લાગ્યો ન હતો.

જેને પડોશ માં જ રહેતો યુવક ભગાડી લઈ ગયો હોવા નું જણાતા સગીરા નાં પિતા એ પોતાની સગીર વય ની પુત્રી નું અપહરણ કરી લઇ જવા અંગે મહાકાળી સર્કલ પાસે રહેતા રવિરાજ ઉર્ફે લપુસિયો અજયભાઈ ગોહિલ સામે પોલીસ મા ફરિયાદ નોંધાવતા સીટી-સી ડિવિઝન પો.ઇન્સ. એ આર ચૌધરી IPC કલમ-૩૬૩, ૩૬૬ મુજબ ગુનો તપાશ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version