Home Gujarat Jamnagar પાન મસાલાનું ખાતુ ચડી જતા 8 શખસોએ આપી મારી નાખવાની ધમંકી

પાન મસાલાનું ખાતુ ચડી જતા 8 શખસોએ આપી મારી નાખવાની ધમંકી

0

લાલપુરના ગોદાવરી ગામે પાન-મસાલાના બાકી નિકળતા રૂા.10 હજારની ઉઘારાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી : 8 શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૫. લાલપુર પોલીસ સ્ટેશનમાં રમેશ પુંજાભાઈ વાઘ, ઉ.વ.36, રે. ગોદાવરી ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે.

કે, તા.12-10-21 ના ગોદાવરી ગામે આ કામના આરોપી ભાવેશ દેવાયત કનારા ની પાન-મસાલાની દુકાન હોય ત્યાં ફરીયાદી રમેશ ઉઘારમાં પાન-મસાલા લેતા હોય અને ફરીયાદી રમેશનું બે માસનું ખાતુ આશરે દશ હજાર રૂપિયા થયેલ હોય જે બાબતે આરોપી ભાવેશ દેવાયત કનારા એ ફરીયાદી રમેશ પાસે ખાતાની બાકી રહેતા રૂપિયાની ઉઘરાણી કરતા ફરીયાદી રમેશ પાસે રૂપિયાની સગવડ ન હોય જેથી રૂપિયા આપી ન શકતા આરોપીઓ ભાવેશ દેવાયત કનારા, રઘાભાઈ દેવાયતભાઈ કનારા, નિલેશ અરશીભાઈ કનારા, રાજુભાઈ મંડાભાઈ કનારા, ગોવિંદ મંડાભાઈ કનારા, રાજુ રણમલભાઈ બૈડીયાવદરા તથા વિજયભાઈ મંડાભાઈ બૈડીયાવદરા, નયન કરશનભાઈ ગાગીયા, રે. ગોદાવરી ગામ વાળા ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી રમેશની માલિકીની વાડીએ ગુન્હાહીત અપ્રવેશ કરી ફરીયાદી રમેશ તથા સાહેદને ભુંડા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત શબ્દો બોલી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version