Home Gujarat Jamnagar જામનગરના 7 PSIની બદલી , હાજર થયેલા અન્ય 17 ને નિમણૂક અપાઈ

જામનગરના 7 PSIની બદલી , હાજર થયેલા અન્ય 17 ને નિમણૂક અપાઈ

0

જામનગર જિલ્લા ના સાત પો.સબ.ઇન્સ. ની બદલી: હાજર થયેલા અન્ય ૧૭ ને નિમણૂક અપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ માર્ચ ૨૪, જામનગર ના સાત પો.સબ.ઇન્સ. ની અરસ પરસ બદલી નાં હુકમ જિલ્લા પોલીસવડા એ કર્યા છે. જ્યારે અન્ય બદલી પામી ને આવેલા ૧૭ પો.સબ.ઇન્સ. ને જુદા જુદા પોલીસ મથકમાં ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત લીવ રિઝર્વમાં રહેલા ચાર પી.આઈ. ને પણ ચાર્જ સોંપાયો છે.

જામનગર ના પોલીસતંત્રમાં ફરજ બજાવત પોલીસ સબ ઈન્સ. પૈકીના સાત અધિકારીની બદલીનો ગઈકાલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ હુકમ કર્યાે છે. જેમાં સિટી-બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી. વણકર તેમજ ડી.જી. રાજ ને એર સિક્યુરિટીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે એર સિક્યુરિટીમાંથી પીએસઆઈ એમ.એમ. ઓડેદરા ને જામજોધપુર માં નિમણુક અપાઈ છે.

પંચકોશી-બી ડિવિઝન નાં એમ.વી. મોઢવાડીયા ને લીવ રિઝર્વ માં, સિટી-સી ડિવિઝન ના વાય. આર. જોષી ને આઈયુસીએ ડબલ્યુમાં, પંચકોશી-એ ડિવિઝનના જે.પી. સોઢા ને સિટી-બી ડિવિઝન માં તથા લીવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ કે.ડી. જાડેજા ને પણ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરાયા છે. પીએસઆઈ એમ.વી. મોઢવાડીયાને પોલીસ હેડ કવાર્ટરમાં રિઝર્વ પીઆઈ તરીકે નો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

તે ઉપરાંત અન્ય જિલ્લા માંથી બદલી પામીને જામનગરમાં હાજર થયેલા ૧૭ પો.સબ.ઇન્સ. ને તેમનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં પીએસઆઈ ચંન્દ્રેશ.એમ. કાંટેલીયા (વડોદરા ગ્રામ્ય) ને પંચકોશી-બી ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. મીરાબેન વી. દવે (પોરબંદર) ને સિટી-સી ડિવિઝન, પીએસઆઈ રસીકબા આર. ચુડાસમા (પોરબંદર)ને એર સિક્યુરિટી, વિક્રમ એસ. પોપટ (સુરત)ને બેડી મરીન પોલીસ સ્ટેશન, સી.બી. રાંકજા (સ્ટેટ આઈબી)ને જિલ્લા એલઆઈબી, વિક્રમ એન. ગઢવી (સીઆઈડી ક્રાઈમ)ને શેઠવડાળા, મિલન વી. ભાટીયા (અમદાવાદ) એબ્સ્કોન્ડર સ્કવોડ, રીમાબેન કે. ગોસાઈ (વડોદરા) જિલ્લા એમઓબી, એ.કે. પટેલ (સુરત)ને પંચકોશી-એ ડિવિઝન, હાર્દિક એ. પીપળીયા (સુરત)ને સિટી-સી ડિવિઝન, શિતલબેન સંગાડા (વડોદરા) એર સિક્યુરિટી, નિલેશ પી. જોષી (ભુજ) સિટી-સી ડિવિઝન, ડી.કે. ગોહિલ (ભુજ) મહિલા પોલીસ સ્ટેશન, જયેર બી. મોરસાણીયા (સુરત) સિટી-એ ડિવિઝન, ભારત જે. તીરકર (સુરત)ને ટ્રાફિક શાખા, સંજય આઈ. ગઢવી (સીઆઈડી ક્રાઈમ) એર સિક્યુરિટી, મધુ તેજાભાઈ પરમાર (રાજકોટ)ને એસસી એસટી સેલના ડીવાયએસપીના રીડર પીએસઆઈ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ઉપરોક્ત બદલી તથા ચાર્જ સોંપવાના હુકમની સાથે જ ચાર પીઆઈની નિયુક્તિનો હુકમ જિલ્લા પોલીસવડાએ કર્યાે છે. લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ એન.બી. ડાભીને કાલાવડ શહેર પોલીસ સ્ટેશન, આર.એમ. વસાવાને એએચટીયુ, એન.ડી. સોલંકીને આઈયુસીએડબલ્યુમાં તથા એચ.વી. રાઠોડને એરપોર્ટ સિક્યુરિટીમાં ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે કાલાવડના પીઆઈ વી.એસ. પટેલને જામનગર ગ્રામ્યના સીપીઆઈ તરીકે નિયુક્ત કરાયા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version