Home Gujarat Jamnagar ગોકુલનગરમાં લાચાર યુવાન પર 5 શખ્સો બન્યા ‘શૂરવીર’

ગોકુલનગરમાં લાચાર યુવાન પર 5 શખ્સો બન્યા ‘શૂરવીર’

0

ગોકુલનગર વિસ્તારમાં સામુ જોવા બાબતે દરબાર યુવાન પર પાંચ શખ્સોનો હિચકારો હુમલો: ફરિયાદની તજવીજ

આરોપી :- ક્રિપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, હિરેન ભાનુશાળી, જયરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા

દેશ દેવી ન્યુઝ જામનગર 21.જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારની સાયોના શેરીમાં રહેતા રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા નામના ૨૩ વર્ષીય યુવાન પર સામુ જોવા બાબતનો ખાર રાખી પાંચ શખ્સોનો જીવણેણ હુમલો થતા નાસભાગ મચી જવા પામેલ

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઇકાલ રાત્રીના જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરી પાસે સામુ જોવા બાબતે બબાલ સર્જાતા અકડા – તફડી મચી જવા પામેલ ૨૩ વર્ષીય યુવાન પર ક્રિપાલસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા નામના શખ્સોએ લાકડાના ધોકા વડે મરણતોલ માર માર્યો હતો અને તેની સાથે રહેલા હરપાલસિંહ જાડેજા, હિરેનભાનુશાળીએ રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાને માથાના ભાગે છરીના ઘા મારી લોહી લુહાણ હાલતમાં યુવાનને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવાનો વારો આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને બનાવની વિગત મેળવી હતીઆથી સીટી-સી ડિવિઝન પોલીસે રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાની ફરીયાદ પરથી પાંચ શખ્સો વિરૂદ્ધ IPC કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસ PSI એસ એમ સિસોદીયા ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version