Home Gujarat Jamnagar જામનગરની જિલ્લા જેલમાં ૧૪ વર્ષની સજા પૂર્ણ કરેલા ૪ કેદીઓને જેલ મુક્ત...

જામનગરની જિલ્લા જેલમાં ૧૪ વર્ષની સજા પૂર્ણ કરેલા ૪ કેદીઓને જેલ મુક્ત કરાયા

0

જામનગરની જિલ્લા જેલમાં ૧૪ વર્ષની સજા પૂર્ણ કરેલા સારા વર્તણુક ધરાવતા ૪ કેદીઓને આજે જેલ મુક્ત કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪, ફેબ્રુઆરી ૨૫ જામનગરની જિલ્લા જેલમાં ૧૪ વર્ષની આજીવન કેદની સજા પૂર્ણ કરનારા કેદીઓ કે જેઓની જેલ વર્તુણુંક સારી હોય, તેવા કેદીઓને આજે જેલમાંથી શરતોને આધીન મુક્ત કરવામાં આવ્યા હતા.પોલીસ મહનિર્દેશક અને જેલોના ઈન્સપેકટર જનરલ ડો. કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને કોરા ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટેના હકારાત્મક પ્રયત્નો થકી આજ તા.૨૪.૨.૨૦૨૫ ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકારના આદેશ અનુસાર જામનગરની જીલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી (૧) અલી હારૂનભાઈ ગંઢાર, (૨) બચુ હારૂનભાઈ ગંઢાર, (૩) ઇબ્રાહીમ કાસમભાઈ ગંઢાર અને (૪) આમીન હાસમભાઈ ભગાડ આમ કુલ ૪ કેદીઓને બી.એન.એસ.એસ.૨૦૨૩ ની કલમ ૪૭૩ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરાયો હતો.આથી ઉપરોકત ચારેય કેદીઓને શરતોને આધિન આજરોજ જેલ મુકત કરાયા છે. તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવ્યા છે, તથા તેઓને ફુલહાર કરી મોં મીંઠુ કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટ ની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version