Home Gujarat Jamnagar જામનગર પાર્સિંગની ઇકો કારનોં તારાપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત.

જામનગર પાર્સિંગની ઇકો કારનોં તારાપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત.

0

તારાપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત.

સુરતથી ભાવનગર જતા પરિવારને નડ્યો તારાપુર પાસે અકસ્માત : રાજકોટથી આવી રહેલ ટ્રકે સામેથી ઇકો કારને હડફેટે લીધી : જોરદાર ટક્કર : કારમાં સવાર એક બાળકી સહિત તમામનો ભોગ લેવાયો.

સુરત: આણંદ જિલ્લાના તારાપુર નજીકના ઇન્દ્રણજ ગામ પાસે આજે સવારે 6.30 વાગ્યે સુરતથી ભાવનગર જઇ રહેલા પરિવારથી ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક સહિત 10ના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત રહેતા પરિવારજનો ઇકો કાર (નં. જીજે10 ટીવી-0409) માં ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે તારાપુરના ઇન્દ્રણજ ગામ પાસે ટ્રક (નં. એમપી-09એચએફ-9642) વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત 10 વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં લાશોના ચીથરા ઉડી ગયા હતા. ક્ષતવિક્ષત હાલતમાં ઈકો કારમાં લાશો પડી હતી. આ અકસ્માતના દ્રશ્ય જોનાર લોકોના મન વિચલિત કરી દેવી ઘટના હતી. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોને ઈકો કારમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટના તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.

પોલીસે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દુર્ઘટના સર્જાયા બાદ ટ્રકચાલક ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી દુર્ધટનામાં ભોગ બનેલા મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કારમાં સવાર 10 લોકોમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version