Home Gujarat Jamnagar જામજોધપુરના સતાપરમાં પતિ-પત્નિને માર માર્યાની ફરિયાદ.

જામજોધપુરના સતાપરમાં પતિ-પત્નિને માર માર્યાની ફરિયાદ.

0

સતાપરમાં પતિ-પત્નિને માર માર્યાની ફરિયાદ.

જામનગર : જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા કાંતિભાઈ કારાભાઈ રાઠોડ ઉમર વર્ષ 37 તથા આરોપીએ એકજ મકાનમાં સંયુક્ત રહેતા હોય અને મકાનમાં રહેવા બાબતે બે દિવસ પહેલા ફરિયાદીના પત્ની સાથે આરોપી મહિલાઓ ઝઘડો કરતા હોય દરમિયાનમાં આ આરોપીએ ધોકા વડે હુમલો કરીને ફરિયાદી પત્નીને માથામાં મારી ફૂટ જેવી ઈજા પહોંચાડી હતી.

તેમજ ચારેય આરોપીઓએ ફરિયાદી તથા ફરિયાદીના પત્ની ને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદ કરી હતી.

કાંતિભાઈ રાઠોડ દ્વારા આ બનાવ અંગે દિનેશ કારા રાઠોડ, લક્ષ્મીબેન દિનેશ રાઠોડ, જયશ્રીબેન દિનેશ રાઠોડ અને વિજયાબેન મેપા રાઠોડ ની વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version