Home Gujarat Jamnagar જામનગરમાં 15 વર્ષની વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ : સારવારમાં મોત

જામનગરમાં 15 વર્ષની વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ : સારવારમાં મોત

0

જામનગરમાં 15 વર્ષની વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ, સારવારમાં મોત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગરમાં એસ.વી.ઇ.ટી. કોલેજ પાછળ રામનગર વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી ધારાબેન સુરેશભાઈ રોરીયા નામની 15 વર્ષની વિદ્યાર્થિનીએ 31મી ઓગસ્ટના સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે તેના પિતા સુરેશભાઈ દોડી આવ્યા હતા, અને ધારાબેનને પંખા માંથી નીચે ઉતાર લઇ ખાનગી વાહન મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી દીધી હતી.

જ્યાં તેણી બેશુદ્ધ અવસ્થામાં સારવાર હેઠળ હતી. પરંતુ ત્રણ દિવસની સારવાર પછી તેણીનો ગઇકાલે મોડી સાંજે મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે ધારા બેન ના પિતા સુરેશભાઈ રણછોડભાઈ રોરીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલમાં પહોંચી ગયો હતો, અને ધારાબેન ના પિતા સુરેશભાઈનું નિવેદન નોંધ્યું છે.

જોકે ધારાબેન ભાનમાં આવી ન હોવાથી તેણીએ કયા સંજોગોમાં આત્મહત્યા નું પગલું ભર્યું છે, તે જાણી શકાયું નથી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version