Home Gujarat Jamnagar જામનગરમાં નવી નિમણુંક પામેલા ૧૨૫ તલાટી કમ મંત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા

જામનગરમાં નવી નિમણુંક પામેલા ૧૨૫ તલાટી કમ મંત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા

0

જામનગર જિલ્લા તલાટી મંડળીની સાધારણ સભા યોજાઇ

  • નવી નિમણુંક પામેલા ૧૨૫ તલાટી કમ મંત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા
  • જોડીયાના તાલુકા વિકાસ અધિકારી જીપીએસસી પરીક્ષામાં રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવતાં તેમને પણ સન્માનિત કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ જાન્યુઆરી ૨૪ જામનગર જિલ્લા તલાટી મંડળની વાર્ષિક સાધારણ સભા તેમજ સન્માન અભિવાદન કાર્યક્રમ લેઉઆ પટેલ સમાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પંચયતના પ્રમુખ મયબેન ગરચરના અઘ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં નવી નિમણૂંક પામેલા ૧૨૫ તલાટી કમ મંત્રી તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તલાટી કમ મંત્રીઓને અને જોડીયાના તાલુકા વિકાસ અધિકારી રોનક ઠોરીયાએ જીપીએસસી પરીક્ષામાં રાજયમાં અવ્વલ સ્થાને ઉત્તીર્ણ કરતાં તેમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, વિમલભાઇ ગઢવી, જિલ્લા પંચાયત કર્મચારી સંઘના મહામંત્રી શ્રીરામ સેજપાલ, વિસ્તરણ અધિકારી મંડળના પ્રમુખ મેસિયાભાઇ, જિલ્લા પંચાયત કર્મચારી સંઘના ઉપપ્રમુખ નિલેશભાઇ ઓઝા સહિત મોટી સંખ્યામાં તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા તલાટી મંડળના પ્રમુખ પરેશભાઇ પારેગી અને ઉપપ્રમુખ હરદેવસિંહ વાઘેલાની રાહબારી હેઠળ મહામંત્રી નિલેશભાઇ ગોજીયા સહિત જિલ્લા-તાલુકાના હોદ્દેદારો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version