Home Gujarat Jamnagar સત્યમ કોલોનીમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આયખું ટુકાવ્યું

સત્યમ કોલોનીમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આયખું ટુકાવ્યું

0

જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં અગમ્યકારણોસર યુવાને આયખું ટુકાવ્યું

જામનગરના સત્યમ કોલોનીમાં પરિવાર એપાર્ટમેન્ટ વિંગ નં.ઈ ફ્લેટ નંબર 301 ખાતે રહેતા અને નોકરી કરતા સમીરભાઈ સુમનભાઈ મોરી ઉંમર વર્ષ 35 નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે હોલના પંખાની હુકમાં દોરી વડે ગળાફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે માણાવદર તાલુકાના લીંબુડા ગામમાં રહેતા સુમન સામજીભાઇ મોરી દ્વારા સીટી-સી ડિવિઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ ટુકડી દોડી આવી હતી અને કયા કારણોસર યુવાને આ પગલું ભર્યું એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે, આપઘાતના બનાવથી શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version