Home Gujarat Jamnagar વાવાઝોડા દરમિયાન પ્રતિબંધ છતાં માછીમારી કરી રહેલા વાડીનારના પાંચ શખ્સો સામે કાર્યવાહી.

વાવાઝોડા દરમિયાન પ્રતિબંધ છતાં માછીમારી કરી રહેલા વાડીનારના પાંચ શખ્સો સામે કાર્યવાહી.

0

વાવાઝોડા દરમિયાન પ્રતિબંધ છતાં માછીમારી કરી રહેલા વાડીનારના પાંચ શખ્સો સામે કાર્યવાહી.

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા.

ખંભાળિયા તાલુકા સહિત જિલ્લામાં “તાઉતે” વાવાઝોડા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી, દરિયાકાંઠાના વિસ્તારથી 200 મીટર દૂર રહેવા તથા માછીમારી ન કરવા અંગેના આદેશો કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી જેટી પાસેના દરિયામાં માછીમારી કરી રહેલા આબેદિન મુસાભાઈ કકલ, ઈશાક અબ્દુલ ચમડિયા, અકબર ઈશાક સુંભણીયા, હુશેન ઈશાક સુંભણીયા અને મુસ્તાક ઈશાક સુંભણીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, તેની સામે જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત જિલ્લા કલેકટરના આદેશ છતાં પણ વાળંદ કામની દુકાન ખુલ્લી રાખવા સબબ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ખીમજીભાઈ બાબુભાઈ રાઠોડ નામના યુવાન સામે સ્થાનિક પોલીસે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version