Home Gujarat Jamnagar લાલપુર પંથકની માનસીક બિમાર બ્રાહ્મણ પરણિતાએ કરી આત્મહત્યા.

લાલપુર પંથકની માનસીક બિમાર બ્રાહ્મણ પરણિતાએ કરી આત્મહત્યા.

0

લાલપુર પંથકની માનસીક બિમાર પરણિતાએ કરી આત્મહત્યા.

જામનગર : લાલપુર તાલુકાના કાઠીતળ ગામમાં રહેતી ભારતીબેન ચંદુભાઈ દવે નામની 36 વર્ષની વિપ્ર જ્ઞાતિની પરિણીત મહિલાએ ગત 28મીએ પોતાના ઘેર કાયા પર કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી લેતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના પતિ ચંદુભાઇ હિરજીભાઇ દવેએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પૂછપરછમાં ભારતીબેન છેલ્લા બે વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. જે બીમારીથી તંગ આવી જઇ તેણે ગત 28મી તારીખે અગ્નિસ્નાન કરી લીધું હતું. અને સારવારમાં મૃત્યુ થયું છે. લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version