Home Gujarat Jamnagar રામેશ્વરનગરમાં પાણીના નિકાલ બાબતે બબાલ સર્જાયા બાદ ચાર ધોબીએ એકસંપ થઇ પાઇપ...

રામેશ્વરનગરમાં પાણીના નિકાલ બાબતે બબાલ સર્જાયા બાદ ચાર ધોબીએ એકસંપ થઇ પાઇપ ફ્ટકાર્યા.

0

જામનગરમાં પાણી નિકાલ બાબતે બબાલ બાદ હિચકારો હુમલો.

જામનગર : સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભકિતરાજસિંહ જીલુભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-પ-ર૧ ના રામેશ્વરનગર, નંદનવન પાર્ક-ર, શેરી નં.-૧ માં ફરીયાદ ભકિતરાજસિંહના ઘરની આગળા ભાગે પાણી નીકાલ સરેટો કરેલ હોય જેથી આરોપીઓ દિપકભાઈ ધોબી, હાર્દિકભાઈ દિપકભાઈ ધોબી, કરણભાઈ દિપકભાઈ ધોબી, હિમેશભાઈ દિપકભાઈ ધોબી, રે. જામનગરવાળા જે ફરીયાદી ભકિતરાજસિંહના ઘરની બાજુમાં રહેતા હોય જેને ફરીયાદી ભકિતરાજસિંહનું પાણી નિકાલ પોતાના ઘરની આગળ જમા થશે આ બાબતે ફરીયાદી ભકિતરાજસિંહ સાથે બોલાચાલી કરી આરોપી હાર્દિક દિપકભાઈ ધોબીએ તથા કરણભાઈ દિપકભાઈ ધોબી એ લોખંડના પાઈપ તથા આરોપી હિમેશભાઈ એ છરી લઈને ફરીયાદી ભકિતરાજસિંહ ના ઘરમાં પ્રવેશી ફળીયામાં ફરીયાદી ભકિતરાજસિંહ ને ગાળો કાઢી આરોપી હાર્દિકભાઈએ ફરીયાદી ભકિતરાજસિંહને માથામાં પાઈપ મારી માથામાં હેમરેજની ઈજા કરી તેમજ આરોપી હિમેશભાઈ એ છરી વડે મારતા ફરીયાદી ભકિતરાજસિંહ ના હાથમાં આગળીના ભાગે ઈજા કરી આરોપી કરણભાઈ ના જમણા પગમાં લોખંડનો પાઈપ મારી મુંઢ ઈજા કરી તેમજ ફરીયાદી ભકિતરાજસિંહના પિતાને આરોપીઓએ માથામા તથા હાથમાં ઘા મારી ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version