Home Gujarat Jamnagar તોકતે વાવાઝોડા અને વરસાદ બાદ સર્જેલી તરાજીને પહોંચી વળવા મનપાના સોલિડવેસ્ટની પo...

તોકતે વાવાઝોડા અને વરસાદ બાદ સર્જેલી તરાજીને પહોંચી વળવા મનપાના સોલિડવેસ્ટની પo ટીમ ઉના ખાતે રવાના.

0

તોકતે વાવાઝોડા અને વરસાદ બાદ સર્જેલી તરાજીને પહોંચી વળવા મનપાના સોલિડવેસ્ટની પo ટીમ ઉના ખાતે રવાના.

તોકતે વાવાઝોડું અને વરસાદથી સર્જાયેલ તારાજી બાદ ઉના શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને રોગચાળો, સફાઈ જેવી  પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર મહાનગરપાલિકા દ્વારા ગતરાત્રે મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ અને સોલિડ વેસ્ટના કંટ્રોલીંગ મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટની મોટી ટીમ બનાવી જરૂરી સાધન સામગ્રી સાથે ઉના ખાતે રવાના કરેલ.

વાવાઝોડા અને ભારે વરસાદ ના લીધે ઉના તાલુકા ખાતે ફેલાયેલ ગંદકી અને રોગચાળાની સ્થિતિમાં તાત્કાલિક સફાઈ કામગીરી કરવા હેતુ, જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧-સેનીટરી ઇન્સ્પેકટર / ૩-સેનીટરી સબ ઇન્સ્પેકટરના સુપરવિઝન હેઠળ 46- સફાઈ કર્મચારી સહિત 50 ની ટીમ જરૂરી સાધન સામગ્રી જેવી કે ત્રિકમ, પાવડા, તગારા, ઘણ, પરાઈ, ખાપરી વિગેરે તથા મેલોથીયન પાવડર બેગ્સ સાથે આજરોજ ગીર સોમનાથ ના ઉના ખાતે રવાના કરવામાં આવેલ છે

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version