Home Gujarat Jamnagar જોડિયાના બાલંભામાં ઉપસરપંચની જાહેરમાં થઈ ગોળીમારી હત્યા.

જોડિયાના બાલંભામાં ઉપસરપંચની જાહેરમાં થઈ ગોળીમારી હત્યા.

0

જોડિયા પંથકમાં જૂની અદાવતમાં ખેલાયો ખુની ખેલ: ઉપસરપંચની હત્યા.

જોડિયાના બાલંભમાં જૂની અદાવતમાં ફાયરીંગ કરી એકની હત્યા, એક ઘાયલ.

મૃતકનો ભાઇ નિલેશ માલવીયા ઘાયલ : તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો.

ફાયરીંગના આરોપી અયુબ-અસગરને ઝડપી લેવા પોલીસ તપાસનો ધમધમાટ.

એલસીબી-એસ.ઓ.જી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે જવા રવાના.

દેશદેવી ન્યૂઝ નેટવર્ક-જામનગર.
જામનગર જીલ્લાના જોડિયા પંથકના બાલંભા ગામમાં જુની અદાવતમાં ખુની ખેલ ખેલાયા સમાચાર મળ્યા છે.

આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે, જોડિયા પંથકના બાલંભા ગામના ઉપસરપંચ કાંતિભાઇ માલવીયા ઉપર અયુબ અને અસગર નામના બે વ્યક્તિએ ફાયરીંગ કરી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને શરીરમાં ગોળી ગંભીર રીતે લાગતા તેમનું મૃત્યુ નિપજયું હતું, જયારે કાંતિભાઇની સાથે રહેલા નિલેશભાઇ માલવીયા પણ આ ફાયરીંગ કાંડમાં ઘાયલ થતા તેમને સારવાર અર્થે જામનગર ની જી.જી હોસ્પિટલમાં લઈ આવ્યા છે.

નાના એવા ગામમાં ફાયરીંગકાંડ અને હત્યાના મામલામાં ચકચાર મચી જવા પામી છે.

જયારે આ ચકચાર જનક બનાવની જાણ થતા જામનગર પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે અને એલસીબી, એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો સ્ક્વોડનો કાફલો ઘટના સ્થળે પહોંચવા અને આરોપીઓને ઝડપી લેવા રવાના થઇ ગયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version