Home Gujarat Jamnagar જામનગર: વેપારના નામે કરોડો રૂપિયાનું કૌભાંડના ફરાર આરોપી 4 વર્ષે ઝડપાયો :...

જામનગર: વેપારના નામે કરોડો રૂપિયાનું કૌભાંડના ફરાર આરોપી 4 વર્ષે ઝડપાયો : કોર્ટમાં રજૂ કરાયો.

0

જામનગર: વેપારના નામે કરોડો રૂપિયાનું કૌભાંડના ફરાર આરોપી 4 વર્ષે ઝડપાયો : કોર્ટમાં રજૂ કરાયો.

જામનગર: જામનગરમાં ચાર વર્ષ પૂર્વે રણજીત સાગર રોડ પર અંબિકા એગ્રો સેન્ટર નામે જયેશ જોશી નામના શખ્સે હોલસેલ પેસ્ટીસાઈઝનો વેપાર શરુ કર્યો હતો. વધુ દવાનો જથ્થો ખરીદ વેચાણ માટે આ શખ્સે મોટી આવકની સ્કીમ ચલાવી જામનગરના અનેક વેપારીઓ સુધી પહોચ્યો હતો.

નગરના મોટા વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં વેપાર કર્યો હતો. વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો દવાનો જથ્થો ખરીદ કરી વેપારી જયેશ જોશીએ પોતાની પેઢીને તાળા મારી દીધા હતા અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

આ શખ્સે સાત વેપારીઓને સીસામાં ઉતર્યા હતા. જેમાના એક વેપારીએ આરોપી સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લાંબા સમય સુધી ફરાર રહ્યા સમયમાં આરોપીએ રાજકોટ, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ આવું જ તરકટ રચી કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું.

દરમિયાન આ શખ્સને ભરૂચ પોલીસે પકડી પાડ્યો હતો અને જામનગર પોલીસને જાણ કરી હતી. જામનગર પોલીસે ભરૂચ પહોચી આરોપીનો કબજો સાંભળી, જામનગર લઇ આવી કોર્ટમાં રજુ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version