Home Gujarat Jamnagar જામનગર જિલ્લા જેલમાં આરોગ્ય અને જિલ્લા જેલના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કેમ્પ યોજાયો...

જામનગર જિલ્લા જેલમાં આરોગ્ય અને જિલ્લા જેલના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કેમ્પ યોજાયો : કેદીઓનું 100 % રસીકરણ.

0

જામનગર જિલ્લા જેલમાં કેદીઓનું 100% રસીકરણ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરની જિલ્લા જેલમાં હાલ 468 કેદીઓ જેલવાસ ભોગવી રહ્યા છે.

જે તમામનું વેંકશિનેશન જુદા જુદા પાંચ તબક્કાઓમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અને વેક્સિનેશન ની પ્રક્રિયા જિલ્લા જેલમાં 100 ટકા થઈ છે. હાલમાં એક પણ કેદી સંક્રમિત નથી, જ્યારે એક વર્ષ દરમિયાન કોઈપણ કેદીનું કોરોના થી મૃત્યુ થયું નથી.

જામનગરની જિલ્લા જેલમાં રહેલા કાચા અને પાકા કામના કુલ 468 જેટલા કેદીઓને કોરોના વેક્સિન નો ડોઝ આપવા માટે ના અત્યાર સુધીમાં જુદા જુદા તબક્કાઓ હાથ ધરવામાં આવ્યા છે.

જેમાં આજે અંતિમ તબક્કામાં બાકી રહેલા 47 કેદીઓને જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વેક્સિનેશન સૌપ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

જેથી જિલ્લા જેલમાં વેક્સિનેશન નો કાર્ય સો ટકા પૂર્ણ થયું છે. 25થી વધુ કેદીઓ સંક્રમિત થયા હતા. જોકે તમામ કેદી હાલ કોરોના મુક્ત બની ગયા છે, અને એક પણ કેદી કોરોના ની સારવાર હેઠળ નથી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version