Home Uncategorized જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવતિ પર હિચકારો હુમલો : ચાર સામે ફરિયાદ

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવતિ પર હિચકારો હુમલો : ચાર સામે ફરિયાદ

0

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવતિ પર હિચકારો હુમલો : ચાર સામે ફરિયાદ

જામનગર: જામનગરના સુભાષ પાર્ક શેરી નંબર 1 માં રહેતી ભાનુબેન સોલંકી ઉમર વર્ષ 27 નામની યુવતીએ સીટી-સી ડિવિઝનમાં કિશન અરવિંદ નાખવા. પૂજાબેન કિશન નાખવા. (રહે, બંને સુભાષ પરા શેરી નંબર એક) દિગ્વિજય પ્લોટ 49 રોડ, મંદિર પાસે રહેતા સુરેશ કનખરા, માયાબેન સુરેશ કનખરા આચાર્યની વિરૂદ્ધ  આઈપીસીની કલમ 323, 114 તથા જી.પી.એ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત મુજબ ફરિયાદી તથા આરોપીના સંબંધી હિરેન નાખવા વચ્ચે પ્રેમ સંબંધ હોય અને બંને લગ્ન કરવા માંગતા હોય પરંતુ આરોપીઓને આ સંબંધ પસંદ ન હોય જે બાબતનો ખાર રાખીને ગઈકાલે આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી તથા આરોપી સુરેશે મુઠથી ફરિયાદીને માર મારી ઇજા પહોંચાડી હતી તેમજ માયાબેને લાકડાના ધોકા વડે હુમલો કરીને પગની ઘૂંટીમાં ઈજા કરી એક-બીજાને મદદગારી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version