Home Gujarat Jamnagar જામનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞ યોજાયો.

જામનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞ યોજાયો.

0

જામનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞ યોજાયો.

જામનગર : વિશ્વ હિન્દુ પરિષદ જામનગર સેવા વિભાગ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતમાં શાંતિ હોમ યજ્ઞનું સંસ્કૃત પાઠશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી સાથ ડે.મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ શ્રીહસમુખભાઈ હિંડોચા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજકશ્રી રવિરાજસિંહ જાડેજા, જિલ્લા મંત્રીશ્રી ધર્મેશભાઈ ગોંડલીયા, શહેર મંત્રી શ્રીસુબ્રમણ્યમભાઈ પીલ્લે, સેવા વિભાગના પ્રમુખશ્રી પ્રફુલભાઈ ચૌહાણ, સમરસતા પ્રકલ્પના સંયોજક શ્રીજીવરાજભાઈ કબીરા, પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજકશ્રી કિંજલ કારસરીયા, જિલ્લા સમિતિના માર્ગદર્શકશ્રી વિશાલભાઈ ખખ્ખર, મહિલા વિભાગના હીનાબેન અગ્રાવત, રેખાબેન લાખાણી સહિતના અગ્રણીઓ યજ્ઞ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને બીડું ઉઠાવ્યું હતું.

આ શાંતિ યજ્ઞ માટે રાજેશભાઈ નકુમ પરિવારના યજમાન પદે શાસ્ત્રી નિખિલભાઇ દવે અને ઉપસ્થિત ભૂદેવોએ યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version