Home Gujarat Jamnagar જામનગરની સ્વામીનારાયણ હોસ્પિટલનું રેમડેસિવિર કૌભાંડ.! મૃતકના દર્દીના નામે મંગાવામાં આવતા ઇન્જેક્શન.

જામનગરની સ્વામીનારાયણ હોસ્પિટલનું રેમડેસિવિર કૌભાંડ.! મૃતકના દર્દીના નામે મંગાવામાં આવતા ઇન્જેક્શન.

0

જાણો સ્વામીનારાયણ હોસ્પિટલનું રેમડેસિવિર કૌભાંડ.!

સ્વામિનારાયણ  કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ અંગે પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા ગુરુવારે સાંજથી મોડી રાત સુધી કર્યું ચેકિંગ. 

મૃતક દર્દીના નામે સતત ત્રણ દિવસ રેમડેસિવિર ઇન્જેક્શન માંગ્યા. 

જામનગર એરપોર્ટ પાસે આવેલ સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલમાં મૃતક અને ડીસ્ચાર્જ દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવતા હોવાનો ભાંડાફોડ થતા સનસનાટી મચી જવા પામી છે 

ગુરુવારે સાંજે પ્રાંત અધિકારી આસ્થા બેન ડાંગરે ઓચિંતું ઇન્સપેકસન હાથ ધર્યું હતું તો ત્યાથી રર  રેમડેસિવિર નો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે નિયમ અનુસાર કાર્યવાહી કરવા જામનગર મહાનગર પાલિકાને જાણ કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ હોસ્પિટલ માં બે દિવસ પહેલા રેન્ડમ ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે એક દર્દીનું મૃત્યુ થઈ ગયું છે અને તેનું નામ હજુ કરી મૃતક વ્યક્તિના નામે રેમડેસિવિર ઇન્જેકશનની ઇન્ડેન્ટ કરવામાં આવી હતી. પ્રશાસનને લાગ્યું કે કદાચ એક દિવસ ભૂલ થઈ હશે. પરંતુ આ સિલસિલો સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહેતા ગુરુવારે સાંજે હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગંભીર બાબત તો એ છે કે જે દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે એમના નામે પણ હજુ ઇન્ડેન્ટ માંગવામાં આવે છે.

વાત અહીંથી અટકતી નથી પણ હોસ્પિટલે કરેલ ઇલેક્ટ્રોનિક પત્ર વ્યવહારમાં જાણવા મળ્યું કે હોસ્પિટલ પાસે ૨૨. રેમડેસિવિર ઇન્જેક્શન નો જથ્થો પડયો છે.

સ્વામિનારાયણ હોસ્પિટલ માં સતત ત્રણ-ચાર કલાક ચાલેલ ચેકિંગમાં ગેરરીતિ સામે આવતા પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરે જામનગર મહાનગરપાલિકા ને હોસ્પિટલ સામે પગલાં લેવા સુચના આપવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version