Home Gujarat Jamnagar જામજોધપુરમાં ૨૯ તોલા સોનાની ચોરી કરનાર ચારની ચંડાલ ટોળકીને ઝડપી પાડતી LCB.

જામજોધપુરમાં ૨૯ તોલા સોનાની ચોરી કરનાર ચારની ચંડાલ ટોળકીને ઝડપી પાડતી LCB.

0

જામજોધપુરમાં 29 તોલા સોનાની ચોરી કરનાર 4 ઇસમોને એલસીબીએ ઝડપી પાડ્યા.

4 ઈસમ ઝડપાયા,બે બાઇક,11 લાખ રોકડા મળી આવ્યા.

જામનગરના જામજોધપુરમાં ગત 20મીએ રાત્રે સોનાનું ઘડામણ કરતા વેપારીના ઘરેથી 29 તોલા સોનાની ચોરી ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

જોકે સાતીર દિમાગના ચોર સીસીટીવીના ડીવીઆર પણ ચોરી ગયા હોવાથી પોલીસ માટે ચોરને પકડવા ચૅલેન્જ બની હતી.

ભાવેશ પરિયા નામનો ઇસમ છે સમગ્ર ચોરીનો માસ્ટર માઇન્ડ.

મૂળ રાજકોટનો ભાવેશ જામજોધપુરમાં પોતાની બહેનના ઘરે આવ્યો હતો ત્યારે સોના ની દુકાને પણ કર્યો હતો અને ત્યાં રેકી કરી હતી બાદમાં પોતાના ત્રણ મિત્રો ને લઈ અને રાત્રીના સમયે મકાનનું તાળુ તોડી અને ચોરીને અંજામ આપ્યો હતો.

જામનગર એલસીબીના સંજયસિંહ અને  દિલીપભાઈને ખાનગી બાતમીદારો દ્વારા મળેલી માહિતી અનુસાર સમગ્ર ચોરીમાં ચાર ઈસમો સંડોવાયેલા છે અને ચારેય ઈસમો કાલાવડથી જામનગર બે બાઇક પર આવી રહ્યા છે બાદમાં એલસીબીએ જુદી જુદી ટીમો બનાવી.

મહાપ્રભુજીની બેઠક પાસે વોચ ગોઠવી હતી અને બાઈક પરથી પસાર થયેલા ચાર ઇસમોને દબોચી લીધા હતા.

જામનગરમાં થયેલ 131 તોલા સોનાની ચોરીનો ભેદ ક્યારે ઉકેલાશે.

જામનગર શહેરમાં પણ રહેણાંક મકાનમાંથી લાખો રૂપિયાના સોનાની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.કુલ 131 તોલા સોનાની ચોરી થઈ છે પણ મકાન આજુબાજુ સીસીટીવી ન હોવાને કારણે પોલીસ માટે ચેલેન્જ બની છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version