જામનગરના પીપરટોડામાં મકાનની લોનના ટેન્શનમાં યુવાનનો ગળાફાંસો

0
6213

લાલપુર ના પીપરટોડામાં દરજી કામ કરતા યુવાનનો મકાનની લોન ના ટેન્શન ના ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ મે ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને દરજી કામ કરતા એક યુવાને પોતાના મકાનની લોનના ટેન્શનમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે.આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના પીપરટોડા ગામના વતની અને હાલ જામનગર રાજકોટ રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતા અને દરજી કામ કરતા બીપીનભાઈ રામજીભાઈ વસોયા નામના ૪૧ વર્ષના પટેલ યુવાને પીપરટોડા ગામમાં આવેલી પોતાની વાડીમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હસમુખભાઈ રામજીભાઈ વસોયાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક બીપીનભાઈ ને ખેતીવાડી હતી, પરંતુ તેઓ દરજી કામ કરતા હતા, અને હાલ ધંધામાં મંદી હતી. દરમિયાન તેણે મકાનની લોન લીધી હતી, જે લોનના ટેન્શનમાં આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જણાવાયું હતું, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.