જામનગર રાંદલનગર માં યુવતિ નું માથું ફુટયું : દંપતિ સામે રાવ

0
4916

જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતી માતા-પુત્રીને તલવારની અણીએ ધમકી આપી પુત્રીનું માથું ફોડી નાખવા અંગે દંપતિ સામે ફરિયાદ

  • આરોપી દંપત્તિના પુત્રએ આપઘાત કર્યો હોવાથી માતા પુત્રીને ઘેર બોલાવી મારકુટ કરાઈ; યુવતી ને માથામાં સાત ટાંકા આવ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ મે ૨૪, જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતી માતા પુત્રીને પાડોશમાં રહેતા એક દંપતિએ પોતાના પુત્રના આત્મહત્યાના બનાવનાર સંબંધે પૂછપરછ માટે બોલાવ્યા પછી માતા પુત્રીને તલવારની અણીએ મારી નાખવાની ધમકી અપાઇ હતી જ્યારે, પુત્રીના માથા પર ફૂલદાની ફટકારી દેતાં માથું ફૂટ્યું હતું, અને સાત ટાંકા લેવા પડ્યા છે. જે સંદર્ભે દંપતી સામે હુમલાની ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવીછે કે જામનગરમાં રાંદલ નગરમાં શેરી નંબર છ માં રહેતી ૪૦ વર્ષની એક મહિલાએ પોતાને તેમજ પોતાની પુત્રીને તલવારની અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે પાડોશમાં જ રહેતા અશોકબા ભૂપતસિંહ જાડેજા અને તેના પતિ ભૂપતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત અશોકબાએ ઉસકેરાટમાં આવી જઇ ઘરમાં પડેલલી ફૂલદાની માથામાં ફટકારી દેતાં પુત્રીને માથાના ભાગે ઈજા થઈ હતી, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે, અને તેણીને સાત ટાંકા આવ્યા છે.

પોલીસ માંથી જાણવા મળતી વિગતો અનુસાર હુમલાખોર દંપત્તિના પુત્ર એ તાજેતરમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવમાં દંપતિને જાણવા મળ્યું હતું, કે પોતાના પુત્રને ઇજાગ્રસ્ત યુવતી સાથે વાતચીતનો વહેવાર હતો.જેથી માતા-પુત્રી બંનેને દંપતિએ પોતાના ઘેર બોલાવ્યા હતા, જ્યાં યુવતીને ટેલીફોન ની વાતચીત બાબતે પૂછપરછ કરતાં તેણીએ ગળાફાંસાના બનાવ બાબતે પોતાને કાંઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. જેથી દંપતિએ ઉશ્કેરાઈ જઈ ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. સમગ્ર મામલે પી.એસ.આઇ. આર.પી.અસારી તપાસ ચલાવે છે.