સગપણ તુટવાની વાત બાબતે સગર યુવાનની આત્મહત્યા

0
698

સગપણ તુટવાની વાત બાબતે યુવાનની આત્મહત્યા

ખંભાળિયા: ભાણવડ તાલુકાના પાછતર ગામે રહેતા એક ખેડૂત સગર પરિવારના 22 વર્ષીય યુવાન ભાવેશભાઈ વજશીભાઈ કારેણાની સગાઈ આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ઘેલડા ગામે થઈ હતી.

આ સગાઈ હવે ક્ધયાપક્ષવાળા રાખવા માંગતા ન હોવાથી તેઓ ગઈકાલે રવિવારે બપોર બાદ આ સગપણ છુટું કરવા આવવાના હતા.

નવયુવાન એવા ભાવેશભાઈ કારેણાને આ સંબંધ છુટું કરવા બાબતે મગજમાં લાગી આવતા ગઈકાલે બપોરે તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના પિતા વજશીભાઈ નારણભાઈ કારેણાએ ભાણવડ પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.