જામનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

0
1421

જામનગરની સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

  • શહેરમાં નવા ૧૦૦ વૃક્ષ નું વાવેતર કરાયું: બે વર્ષ માટેની જતનની જવાબદારી પણ સ્વીકારી

દેશ દેવી નયૂઝ જામનગર તા ૫ જૂન ૨૪, આજે ૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. એક સ્વચ્છ પર્યાવરમમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે.પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે,પરંતુ આજના સમયમાં ઝડપથી ભાગતા મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મુકી દીધુ છે. દુનિયાને આ ખતરાથી માહિતગાર કરાવવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જામનગરની નવાનગર નેચર કલબ છેલ્લા સત્તર વર્ષથી પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવે છે.સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેથી ૫,જૂન ૨૦૨૪ના દિવસે પર્યાવરણ જાગૃતિ અંતર્ગત દર વર્ષે શહેરના વિવિધ સ્થળો પર વૃક્ષા રોપણ કરવામાં આવે છે, અને આ વૃક્ષોની બે વર્ષ સુધી કાળજી લેવામાં આવે છે.તે મુજબ આ વર્ષે જામનગર શહેરના વોર્ડ નં.૧૧ માં આવેલા કામધેનુ રેસીડેન્સીના કોમન પ્લોટમાં તથા દરેડ ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં વૃક્ષા રોપણ રાખવામાં આવ્યું હતું.જેમાં દેશી કુળના ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.જેનું સતત બે વર્ષ સુધી જતન કરવામાં આવશે.