જામનગરના વાધેરવાડા વિસ્તારમાં બાળકોને ઉઠાવતી હોવાની શંકાથી મહિલાની ધોલાઇ : જુવો VIDEO

0
9586

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ મહિલાઓની ધોલાઇ કરતા લોકો: લોહિલોહાણ હાલતમાં પોલીસને સોંપાઇ

  • બાળકો ઉપાડવા આવી હોવાના પગલે લોકોએ માર માર્યો:
  • વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા વળ્યા હતા

દેશ દેવી ન્યુઝ તા.૧૧ ઓક્ટોબર ૨૨ જામનગર: શહેરના મોટા આશાપુરા માતાજીના મંદિર નજીક વાઘેરવાડા વિસ્તારમાં મંગળવાર સવારે અહીંના એક મકાનમાં ચારેય મહિલાઓ મલિન ઇરાદાઓ સાથે ઘુસી ગઇ હતી, જયારે ઘર માલિકને આ વાતની ખબર પડી જતા ભારે અફરા-તફરી સર્જાઇ હતી અને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે આ મહિલાઓ છોકરાઓને ઉપાડવા આવી હતી તેવી પણ ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી હતી. અહીંના અંદાજીત 100-150 લોકો એકઠા થઇ ગયા હતા અને ચારમાંથી એક મહિલા ફરાર થઇ ગઇ હતી જયારે ત્રણ મહિલાને લોકોને ઝડપી લઇ સરખી રીતેે ધોલાઇ કરી નાંખી હતી. મામલો વધુ વિસ્તરે તે પહેલા કોઇને પોલીસને જાણ કરી દેતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઉપરોકત્ત ત્રણ શંકાસ્પદ મહિલાઓને લઇને પોલીસ સ્ટેશન તરફ રવાના થયો હતો. આ બનાવના પગલે વિસ્તારમાં ભારે અફરા-તફરી અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મહિલાઓને ટોળાઓએ માર મારતા હોસ્પિટલ ખસેડાઇ છે.