જોડીયા પંથકમાં એક ટ્રકમાં ૫૦ જેટલા અબોલ પશુઓને કતલખાને લઈ જવાતા અટકાવાયા
-
મોરબીના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખની ફરિયાદ ના આધારે ગુનો નોંધાયો : પશુઓને પાંજરાપોળમાં મોકલી દેવાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી એક ટ્રકમાં ૫૦ જેટલા અબોલ જીવોને ભરીને કચ્છમાં કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીની ફરિયાદ ના આધારે પોલીસે એક કસાઈ શખ્સ સામે ગુનો નોંધ્યો છે, અને ટ્રક કબજે કરી લઇ અંદર રહેલા તમામ ૫૦ પશુઓને બચાવી લઈ પાંજરાપોળમાં મોકલી દેવાયા છે.