ખંભાળિયાના આરાધનાધામ પાસેથી “વસા-સંઘવી- ગોપયાણી” ઈંગ્લીશ દારૂની 60 બોટલ સાથે ઝબ્બે

0
1008

ખંભાળિયાના આરાધનાધામ પાસે ઈંગ્લીશ દારૂ સાથે 3 શખસ ઝબ્બે…

વિશાલ ગુણવંતભાઈ ગોપીયાણી, જામનગરના ગોવાળની મસ્જિદ પાસે રહેતો કેયુર નીતિનભાઈ સંઘવી તથા જય ધનવંતરાય વસા નામના શખ્સોને ૬૦ બોટલ સાથે દબોચી લીધા..

60 બોટલ દારૂ, કાર સહિત રૂા.2.09 લાખની માલમત્તા કબજે

દેશ દેવી ન્યુઝ જામનગર 19.ખંભાળીયા પંથકમાં પેટ્રોલિંગ વેળાએ સ્થાનિક ગુના શોધક શાખાના એએસઆઇ સજુભા જાડેજા અને ભરતભાઇ ચાવડા સહિતની ટીમને દારૂની હેરાફેરી મામલે બાતમી મળી મળી હતી જે બાતમી મામલે Pl જે.એમ.ચાવડાને વાકેફ કરી તેના માર્ગદર્શન હેઠળ પોલીસે જામનગર હાઇવે પર આરાધના ધામ પાસે વોચ ગોઠવી હતી.જે દરમિયાન પોલીસ ટીમે દારૂનો જથ્થો ભરી જામનગરથી ખંભાળીયા તરફ આવતી એક ઇકો કારને અટકાવી હતી જેની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂ.24 હજારની કિંમતનો દારૂ, એક ઇકો કાર,3 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2,09,500ના માલમત્તા કબ્જે કર્યો હતો.પોલીસે સ્થળ પર આરોપી વિશાલ ગુણવંતભાઈ ગોપીયાણી, કેયુર નીતિનભાઈ સંઘવી તથા જય ધનવંતરાય વસા નામના શખ્સોને દબોચી લીધા હતા.પોલીસ પુછપરછમાં આરોપી ઉમેશ ઉર્ફે બાબુભાઇ નાખવાનું નામ ખૂલ્યું હતું પોલીસે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.