મનપાની છત્રછાયામાં બેરોજગારોની કુ્ર-મજાક: મનપામાં કર્મચારી સપ્લાય કરવાનો ચાર્જ 1..રૂપિયો..!

0
948

જામનગર મહાનગર પાલિકાને આઉટ સોસિંગમાં માણસો પૂરો પાડવાનો ચાર્જ 1 રૂપિયો..!

એક માણસ સપ્લાય કરવાનો 1 રૂપિયો.. એટલે 100 માણસો મનપાને આપો એટેલે એજન્સીને 100 રૂપિયા મળે .. આમાં ભ્રષ્ટાચાર ન થાય તો શું થાય..!બેરોજગારોનો પગાર 11800 નક્કી : 2000 અન્ય કપાતા હાથમાં આવે 9800 તેમા કર્મચારી દીઠ 2000 એજન્સીનું કમિશન..! હવે 6500 માં જંતરાવાનું..! બેરોજગારોની કુ્ર મજાક..દેશ દેવી ન્યુઝ જામનગર 20. શહેર – જિલ્લામાં બેરોજગારોની કોઈ કમી નથી . આવા બેરોજગારોની મજબુરીનો લાભ લેનારાઓ પણ તેમના પર ત્રાટકીને બેઠા હોય છે. આવું જ કંઈ ફલિત થયું.

જામનગર મહાનગરપાલિકાના આઉટ સોર્સિંગ ટેન્ડરમાં જેમાં 100 જેટલા લોકોને નોકરીએ રાખવાના છે તેમના માટે જે કંપનીઓએ ટેન્ડર ભર્યા તેમણે તેમની ફી રાખી માણસ દીઠ ફક્ત 1 રૂપિયો એટલે 100 માણસોના મહિને .100 આના પરથી સાબિત થઈ શકે કેપગાર મહાપાલિકા આપવાનું તેમાંથી કમિશન કંપની લેશે એટલે બેરોજગારોનું સીધુ શોષણ જેને મહાનગરપાલિકાની છત્રછાયા મળી રહી છે !જામનગર મહાનગરપાલિકા દ્વારા તેની વિવિધ શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક પટ્ટાવાળા , દાળિયા , કલાર્ક , ઈજનેર વગેરે સપ્લાય કરવા માટે આઉટ સોર્સિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં બધાના પગાર ફીક્સ હતા . હવે કંપનીઓએ આવા માણસોને આપવા માટે શું ચાર્જ તેનું ટેન્ડર કરવાનું હતુંજેમાં 12 ટેન્ડર મહાપાલિકાને મળ્યા હતા જેમાંથી આશ્ચર્યજનક રીતે 6 પાર્ટીઓએ માણસો સપ્લાય કરવા માટેનો ભાવ ફક્ત રૂા .1 આપ્યો જેનાથી ફલિત થાય છે કે , શિક્ષિત બેરોજગારોનું શોષણ કેવી રીતે થાય છે ! આનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે , મહાનગરપાલિકાએ છએય ટેન્ડર મંજૂર કર્યા અને છએય કંપનીઓને કામ આપ્યું.

હવે આ લોકો જે માણસો સપ્લાય કરશે તેમના પગારમાંથી કમિશન કાપશે તે નિશ્ચિત છે એટલે બેરોજગારોનું લેશોષણ થયું તે પણ મહાપાલિકાના અંદર જ !