જામનગર માં એડવોકેટની હત્યાના ગુન્હામાં સાયચા ગેંગનાં વધુ બે આરોપી ઝડપાયા

0
8560

જામનગર માં એડવોકેટની હત્યાના ગુન્હામાં સાયચા ગેંગનાં વધુ બે આરોપી ઝડપાયા : અન્ય ૭ સાત ની શોધ ખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૬ માર્ચ ૨૪, જામનગરમાં થોડા પહેલાં એક એડવોકેટ ની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી.જેમાં સંડોવાયેલા બેડીની કુખ્યાત સાયચા ગેંગના વધુ બે શખ્સ ને પોલીસે પકડી પાડ્યા છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૮ નો થયો છે.

જામનગરના બેડી વિસ્તારમાં ગત સપ્તાહે એડવોકેટ હારૂનભાઈ પલેજા ની હત્યા નીપજવવામાં આવી હતી. જેમાં કુખ્યાત સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે ગુના નાં આરોપીઓ ને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુડીવાયએસપી જે.એન. ઝાલા ના વડપણ હેઠળની સીટ ની તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી.   દરમિયાન આ ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપી ને પોલીસ દ્વારા ઝડપી લઇ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો હતો.

જેની ઊંડાણપૂર્વકની પૂછપરછ ના આધારે તપાસની પોલીસ ટુકડીએ સાયચા ગેંગના વધુ બીજા આરોપી સિકંદરની અટકાયત કરી લઇ તેને પણ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે.ત્યાર બાદ હત્યા પ્રકરણના ત્રીજા આરોપી દિલાવર હુસેન કકકલ ની ધરપકડ કરી લીધી છે, જેને પણ ૭ દિવસના રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.દરમિયાંન આ પ્રકરણમાં વધુ એક ચોથા આરોપી સુલેમાન હુસેન કકકલ ઉપરાંત અન્ય બે સગીર ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ આજે વધુ બે આરોપીઓ ઇમરાન નૂર મહંમદ સાયચા અને રમજાન સલીમ સાયચા ની અટકાયત કરી લેવામાં આવી છે આમ અત્યાર સુધીમાં આ હત્યા પ્રકરણમાં બે ટાબરીયાઓ સહિત કુલ ધરપકડનો આંક ૮ નો થયો છે, ત્યારે અન્ય સાત આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.