જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બે બાઈક ધડાકાભેર અથડાતા એકનું મોત: ૧ ધાયલ

0
8062

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ નજીક બે બાઈક સામસામેં ટકરાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનો ભોગ લેવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ઓગસ્ટ ૨૪, જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે રાત્રે બેડ ગામ નજીક બે બાઈક ટકરાઈ ગયા હતા, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક બાઈક ના ચાલક જામનગરના યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતો સુરેશ પુનાભાઈ મકવાણા નામનો ૩૩ વર્ષનો યુવાન પોતાના મિત્ર અર્જુન વિનોદભાઈ સોમાણીને પોતાના બાઈકમાં બેસાડીને જામનગર ખંભાળિયા ધોળી માર્ગ પર બેડ ગામ પાસે પહોંચ્યો હતો, અને ત્યાં અર્જુન સોમાણીને ઉતારીને પોતે જામનગર બાઈકમાં પરત ફરી રહ્યો હતો.દરમિયાન ચોકલેટ ના કારખાના પાસે સામેથી આવી ધસી આવેલા ભરાણા ગામના સાજીદ મામદભાઈ ભટ્ટી નામના બાઈક ના ચાલકે ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બાઈક ચાલક સુરેશ મકવાણા ને ગંભીર ઇજા થઈ હતી, અને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું,

આ બનાવ અંગે પોલીસને જાણ થતાં સિક્કા પોલીસ મથકના પીએસઆઇ આર.એચ. બાર તેઓના સ્ટાફ સાથે બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે અકસ્માત સર્જનાર ભરાણા ગામના બાઈક ચાલક સાજીદ મહમદ ભટ્ટી સામે ગુનો નોધ્યો છે.