રાજ્યમાં 55 થી વધુ નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) ની બદલી

0
1456

રાજ્યમાં 55 થી વધુ નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) ની બદલી કરવામાં આવી છે.

ગુજરાતમાં 55 થી વધુ ડીવાયએસપીની બદલી..

દેશ દેવી ન્યુઝ 25. ગાંધીનગરઃ રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક(ડીવાયએસપી) ની બદલી કરવામાં આવી છે. 55થી વધુ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરીયાની બદલી કરવામાં આવી છે. અમદાવાદ એચ ડિવીઝન એસીપી પ્રકાશ પ્રજાપતિ, એફ ડિવીઝન એસીપી જે કે ઝાલાની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી. કારમિયાની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. એસીબીના મદદનીશ નિયામક એન.ડી. ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરમાં મુકાયા છે. સુરત ગ્રામ્યના ડીવાયએસપી મુકેશ ચૌધરીને અંજારમાં એસડીપીઓ તરીકે મુકાયા છે. એસીપી એપ ડિવિઝન જે.કે. ઝાલાને SDPO તરીકે પશ્ચિમ રેલવે રાજકોટમાં મુકાયા છે.ગાંધીનગરના કલોલના ડીવાયએસપી વી.એન. સોલંકીને SDPO તરીકે કપડવંજમાં મુકાયા છે. એસીપી જી. ડિવિઝન વડોદરા પી.આર. રાઠોડને એબીસી ભાવનગરના મદદનીશ નિયામક બનાવાયા છે. એસીપી એચ. ડિવિઝન અમદાવાદ પ્રકાશ પ્રજાપતિને SDPO પોરબંદર ગ્રામ્ય તરીકે મુકાયા છે.