કરુણાંતિકા : જામનગરમાં લઘુશંકાએ જતા યુવાનનું વિજશોકથી મોત

0
2761
  • વિજતંત્રની ધોર બેદરકારીએ ગુલાબનગર વિસ્તારના યુવાનનો લીધો ભોગ
  • વીજપોલ નજીક લધુશંકા કરવા જતા યુવાનને વીજશોક લાગ્યો: વિજતંત્ર ઘટનાસ્થળે
  • ગત મોડી રાત્રીનો બનાવઃ સ્થાનિક કોર્પોરેટર સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ જુલાઈ ૨૩ જામનગરમાં ગઇકાલ રાત્રે નાગનાથ ગેઇટ નજીક લઘુ શંકાકરવા જતા મુસ્લિમ યુવાનને વિજ પોલમાં શોક લાગતા અફડાતફડી મચી ગઈ હતી બનાવના પગલે રાહદારીઓ દોડી જઈ યુવાનને તાત્કાલિક ૧૦૮ મારફત જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યા યુવાનને સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું.જાણવા મળતી વિગત મુજબ રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો રજાક રફીકભાઇ આમરોણીયા નામનો મુસ્લીમ યુવાન નાગનાથ ગેટ નજીક વિજ પોલ પાસે લઘુશંકા કરવા જતા વિજ કરંટ લાગતા કરુણ ઘટના સર્જાઇ હતી અને યુવાનને તાત્કાલિક 108 મારફત જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને લોકોના ટોળાઓ એકઠા થયા હતા બનાવની જાણ ના પગલે વીજતંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વિજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, યુવાનને સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નિપજ્યું હતું હોસ્પિટલ ખાતે સ્થાનિક કોર્પોરેટર આગેવાનો, સ્નેહીઓ પહોંચી જઈ બોડીને કોલ્ડરૂમ ખાતે રાખવાની તજવીજ કરાઈ હતી