જામનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : 1.16 લાખની મતા ઉઠાવી ગયા

0
2719

જામનગરના રણજીત સાગર રોડની સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કર: રૂા.1.16 લાખની માલમત્તા ચોરી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૪ જુલાઇ ૨૩  જામનગરમાં રણજીત સાગર રોડ આવેલી આદર્શ સોસાયટીના શેરી નાં -2 માં બ્લોક નંબર 30 માં રહેતા જ્યોત્સનાબેન દિલીપભાઈ ગોરાણીયા ના રહેણાક મકાનને ગત રાત્રીએ કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદાજે રૂપિયા 3,500 ની રોકડ રકમ તેમજ ચાર તોલા સોનાના ઘરેણા, અને ચાંદીની કંકાવટી સહિત કુલ રૂપિયા 1,16,200 ની માલમતા ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે મકાન માલિક જ્યોત્સનાબેનને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તસ્કરો ને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.